યોદ્ધા અંગદ

  • 3.5k
  • 1
  • 1.6k

#શ્રીરામે #અંગદ ને કહ્યું કે અંગદ તમે લંકામાં જાઓ. રાવણને મળો એની સાથે એવી વાત કરજો કેજેથી આપણું કામ થાય અને શત્રુનું ભલું પણ થાય. શ્રીરામ શત્રુના પણ હિતેષી છે. તેઓ રાવણનું પણ અહિત ઇચ્છતા નથી. તેઓ પોતાને રાવણના શત્રુ માનતા નથી,તેમની શત્રુતા “રાવણત્વ” સાથે છે. રાવણ નું પણ કલ્યાણ કરવાની કામના તેમના મનમાં છે.અંગદ ને જોતાં રાક્ષસો ના મનમાં ભય થયો. બધા રાક્ષસો કહે છે કે પેલો લંકા બાળીને ગયો હતો તે પાછો આવ્યો. હાય,હવે શું થશે ? ભયભીત બની બધા અંગદને જોઈને નાસવા લાગ્યા કે સંતાવા લાગ્યા. અંગદે એકને પકડ્યો તો તેણે વગર પૂછ્યે જ રાવણના દરબારનો રસ્તો