એક પૂનમની રાત - પ્રકરણ : 75

(125)
  • 6.5k
  • 4
  • 4.5k

એક પૂનમની રાત પ્રકરણ : 75 સિદ્ધાર્થ અને ઝંખનાનાં તૃપ્તિનાં આસ્વાદ પછી સિદ્ધાર્થને શોક અને ગ્લાનીની ભાવના થાય છે અને ઝંખનાએ કહ્યું તું કોઈપણ પ્રકારનો શોક કે પસ્તાવો નાં અનુભવીશ તેં આજે જેની સાથે ભોગવટો કર્યો છે એ પણ એક પવિત્ર અઘોરી આત્મા છે તને હું જણાવું આજે મારી બધી કહાની.. સિદ્ધાર્થ પ્રેમ નજરે ઝંખનાને જોઈ રહેલો એણે ઝંખનાનાં ખોળામાં પોતાનું માથું મૂકી દીધું અને ઝંખનાએ એનું કપાળ ચૂમીને કહ્યું સિદ્ધાર્થ ભલે હું એક આત્મા છું અને તું જીવિત માનવી...પણ આપણું આવી રીતે મિલન નિશ્ચિતજ હશે જેથી તેં આજે મારાં મંત્રની સાધના કરી. હું તને મારી જીવનથી અવગતિની આખી