પ્રાયશ્ચિત - 48

(102)
  • 8.9k
  • 2
  • 7.7k

પ્રાયશ્ચિત પ્રકરણ 48સ્વામીજીએ ઊંડા ધ્યાનમાં તાજેતરમાં બનેલી ઘટનાઓનું વિશ્લેષણ કરી બતાવ્યું ત્યારે કેતન આશ્ચર્ય પામી ગયો. નિયતિ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે. પાછલા જન્મના સંબંધો ફરી પાછા કેવી રીતે જોડાઈ જાય છે એ બધું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી કેતન હળવોફૂલ થઇ ગયો. હવે એને રાકેશના મૃત્યુનો કોઈ અફસોસ રહ્યો નહીં. આ બધો નિયતિનો જ ખેલ હતો એ એને સ્પષ્ટ સમજાઈ ગયું. સ્વામીજીએ તો એને ત્યાં સુધી કહ્યું કે નીતા મિસ્ત્રીના પડોશમાં મકાન મળવું એ પણ પ્રારબ્ધનો જ એક ખેલ હતો. નીતા મિસ્ત્રીને એણે મદદ ના કરી હોત તો એનો સંપર્ક રાકેશ સાથે કે ફઝલુ સાથે ક્યારે પણ થવાનો ન હતો. કેતન