પ્રાયશ્ચિત - 15

(75)
  • 9.8k
  • 8.2k

પ્રાયશ્ચિત પ્રકરણ - 15દ્વારકાધીશનાં દર્શન કરીને લગભગ સાડા દસ વાગે કેતન લોકો જામનગર જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચતા પહોંચતા બપોરનો એક વાગી ગયો. જો કે નાસ્તો કરી લીધો હતો એટલે ખાસ ભૂખ લાગી ન હતી. ઘરે પહોંચતા જ દક્ષાબેન ની રસોઈ તૈયાર જ હતી !!" મનસુખભાઈ તમે ગાડી લઈને જાવ અને ઘરે જમીને આવી જાવ. તમે હવે જલ્દી થી નવું બાઈક પણ છોડાવી લો. તમારે ક્યાંય પણ જવું હોય તો તકલીફ ના પડે " કેતને કહ્યું. " હા સાહેબ આવતીકાલે બાઈક છોડાવાનો વિચાર છે. આજે તમારે ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ? તો હું એ પ્રમાણે આવી જાઉં " મનસુખે પૂછ્યું. "