જજ્બાત નો જુગાર - 27

(27)
  • 2.7k
  • 996

પ્રકાશભાઈ વિચારનાં વમળમાં ઘુસવાઈ ગયાં કે આરતી શા માટે એમનાં સસરાનું ઘર છોડીને અહીં આવતી હશે અનેક આંટી ઘૂંટી મનોમંથન બાદ કોઈએ સાથે સમાચાર સાંભળ્યા કે આરતી આવવાની છે પણ શ્વસુરગૃહ છોડીને નહીં પરંતુ......હવે આગળ.... આરતીના લગ્નને પાંચ પાંચ વર્ષ વિતી ગયા છતાં ખોળો ખાલી. પથ્થર એટલા દેવ કર્યા. દુનિયાના મહેણાંટોણાં તો સહન થાય પોતાના જ પારકાં પણું બતાવે ત્યારે ધૈર્ય ધારવું ખુબ કઠીન થઈ જતું હોય છે. વિધીની વક્રતા તો સમાનકાલીનતા વિરૂદ્ધ જઈ રહી હોય તેવાં અણસાર વર્તાઈ રહ્યાં હતાં. કલ્પનાને માત્ર બે જ મહિના થયા ત્યાં વિરાજે ડૉક્ટરને પ્રશ્ન