મનનો માલિક

  • 2.8k
  • 1
  • 766

ઇચ્છાઓની આગ અને વાસ્તવિકતાનો વાઘ"પુણ્ય કરી સ્વર્ગ ઝંખતો માણસ, ખોટું કરી નર્કથી ડરતો માણસ"અનંત, અપાર અને અનહદ ઇચ્છાઓની આગ મા બળતો માણસ વાસ્તવિકતાની સચ્ચાઈથી ડરતો હોય છે. એ મનોમન જાણતો હોય છે કે તેની બધી ઈચ્છા જીવન પર્યંત પૂરી થવાની નથી. માણસે ઈચ્છાના આકાશને સંયમિત રાખતા શીખવું પડશે, તેમજ વાસ્તવિકતા, મર્યાદા અને અધૂરપ ને સ્વીકારવી પડશે. આજના જમાનામાં માણસો "ચકલી નાની અને ફડકો મોટો" જેવા વ્યવહારનું આચરણ કરતા હોય છે. દેખાદેખી અને ઈર્ષા ના આવરણમાં પોતાની હેસિયત ભૂલીને તથા પરિણામની પરવા કર્યા વિના બેફામ થઈ જાય છે, પછી પસ્તાવાનો વારો આવે છે. પોતે દુઃખી થાય છે અને પરિવારને પણ દુઃખી