આરોહ અવરોહ - 68

(127)
  • 6.4k
  • 3.2k

પ્રકરણ - ૬૮ મિસ્ટર આર્યન બોલ્યા, " કર્તવ્ય આવું ન બોલ બેટા? બધું સમુસુતરું ઉતરી રહ્યું છે ત્યારે તું કેમ આવી વાત કરે છે? મારી ભૂલ છે ભયંકર મોટી ભૂલ છે પણ હું એને મનાવી લઈશ. જરૂર પડશે તો હું એને કરગરીશ, પગે પડીને માફી માગીશ... બસ પણ પ્લીઝ તું મને એની પાસે લઈ જા." કર્તવ્ય શાંતિથી બોલ્યા, " એમનાં મનમાં શું હોય એ તો મને શું ખબર? પણ કોઈ પણ સ્રી આ સવાલ તો કરે જ ને?" "તારી વાત સાચી છે. પણ શ્વેતાનો પણ પરિવાર હશે ને? એનો પણ કોઈ પતિ કે બાળકો હશે જ ને? એ ક્યાં છે