ચુંટેલા પુષ્પો...

  • 2.6k
  • 1
  • 660

સુગંધનું સાફલ્ય ' નેત્રા' હૃદયની આંખો થી દુનિયાને નિહાળતી જાણે ધરતી પરની સુંદર પરી..... ઈશ્વરે એક દૃષ્ટિ નથી આપી પણ તેના બદલે બાળપણથી જ અસંખ્ય ફૂલોની સુગંધોમાંથી અમુક ખાસ સુગંધો ને અલગ તારવવાની શક્તિ નેત્રાને મળી હતી. જંગલ માં જ રહેતી, નેત્રા નો ફક્ત સુગંધ પરથી ફૂલોના ગુણોને પારખીને તેનો ઉપયોગ માણસોને મદદ કરવાનો શોખ ધીમે ધીમે મોટા થતાં સંશોધનમાં પરિણમવા લાગ્યો.... દુનિયાના બીજા છેડે રહેતો ડો.સુમન. પંરતુ વતનની માટીની મહેક તેને ફરી પાછી ભારત લઈ આવી...અને ફૂલોના રસમાંથી બનતી દવાઓ પ્રત્યેનું આકર્ષણ તે માટેનું કારણ બન્યું.ભારતના વિવિઘ જંગલી પ્રદેશનું ભ્રમણ શરૂ કર્યું.