આરોહ અવરોહ - 38

(111)
  • 6.6k
  • 3
  • 3.6k

પ્રકરણ - ૩૮ ઉત્સવનાં બહાર જતાં જ સોના બોલી, " યાર આપણી સાથે કેટલાંક દિવસથી શું બની રહ્યું છે સમજાતુ નથી. આપણી આ સંતાકૂકડીને કોઈ મુકામ મળે તો સારું. આ બધું કોઈ માયાજાળ તો નહીં હોય ને? આપણાં જીવનનાં આટલાં સંઘર્ષ અને વળાંક પછી કિસ્મત પર પણ વિશ્વાસ આવતો નથી. બાકી ક્યાંક ફરી..." "આવું ન વિચાર. આટલું સારું થયું છે તો એ પણ સારું થશે જ. મારાં મનમાં પણ એ સવાલ તો છે જ કે આ જે પણ છે કર્તવ્ય મહેતા એ સારો જ વ્યક્તિ હશે પણ એ આપણી સામે કેમ નથી આવતો? એક સવાલ મને પણ બહું હેરાન કરી