ભારેલો અગ્નિ - 2

(20)
  • 11.4k
  • 1
  • 6.8k

ભારેલો અગ્નિકોઈ પણ નવલકથામાં વિચાર - ભાવનાને પ્રગટ થવાનું અનુકૂળતા હોય છે. છતાં એ સર્વ કલરૂપે - ઘટનારૂપે પ્રગટે એ વધારે ઈચ્છનીય હોય છે.'ભારેલો અગ્નિ' નું મૂળવસ્તુ ઈ. સ. ૧૮૫૭ના બળવાનું છે, છતાં અહિંસાની ભાવના જ સમગ્ર નવલકથામાંથી ઉપસતી દેખાય આવે છે. જે નવલકથામાં બનતી ઘટનાઓમાંથી ઉપસ્થિત થતું જણાય છે. જો કે અહિંસાના હિમાયતી રુદ્રદત્તની સાથે સાથે જ એનાથી વિરોધી વલણ ધરાવતા એવા હિંસામાં માનનારા વ્યક્તિ તરીકે મંગળ પાંડે અને ગૌતમને મુકાયા છે. એટલે હિંસા-અહિંસા એમ એક સાથે મૂકી છે અને એથી અહિંસાની એ ભાવના ૧૮૫૭ના કાળની નહોતી, છતાંય એ માત્ર આગંતુક રહેતી નથી. એમાં ભળી જતી જોવા મળે છે