આરોહ અવરોહ - 23

(89)
  • 5.9k
  • 2
  • 3.5k

પ્રકરણ - ૨૩ કર્તવ્યની અશ્વિને જીવનસાથી બનાવવા વિશેની વાત માત્રથી કર્તવ્ય ગુસ્સામાં ઉભો થઈ જતાં જ બાજી સંભાળતાં દીપેનભાઈ બોલ્યા, " શું થયું બેટા? તારી મમ્મી તને પૂછે ફ્ક્ત. તને ન ગમે તો બીજી કોઈ છોકરી જોઈશું. તું પહેલાં શાંતિથી બેસી જા પહેલાં.જમવાનું પતાવી દઈએ તો સારું. અન્નને કોઈ દિવસ ઠુકરાવાય નહીં." સુસંસ્કારોથી સિંચિત કર્તવ્યને પોતાની ભૂલ સમજાતાં 'સોરી' કહીને ખુરશી પર ફરી બેઠો અને બધાંએ મનમાં અનેક સવાલો સાથે જમવાનું પતાવી દીધું પછી થોડીવારમાં દીપેનભાઈએ શાંતિથી પૂછ્યું, " બેટા અશ્વિને તું ઓળખે છે? તારાં રિએક્શન પરથી એ તો ખબર પડી કે તું કોઈ રીતે એને ઓળખે છે. શું પ્રોબ્લેમ