આરોહ અવરોહ - 21

(106)
  • 5.9k
  • 5
  • 3.7k

પ્રકરણ - ૨૧ કવિતાને એના પિતાએ પહેલીવાર એની સાથે આવો એક સ્વાર્થી વ્યવહાર કરતાં એને આજે લાગી આવ્યું. હજું સુધી તો ક્યારેક એનાં માતાપિતાએ આટલી તકલીફ હોવાં છતાં કદી નોકરી કે કામકાજ કરવા સુદ્ધાંની વાત નહોતી કરી. આજે અચાનક શું થયું હશે? એ લોકો મારી સાથે આવું કરશે તો હું શું કરીશ એ ચિંતામાં એણે ફટાફટ ઓરડામાં જઈને દરવાજો બંધ કરી દીધો. એની મમ્મીને કંઈ શંકા જતાં એણે ફટાફટ દરવાજો ખખડાવ્યો. એને સમજાવીને પરાણે દરવાજો ખોલાવ્યો. એ વખતે તો એમણે કંઈ ખાસ પૂછ્યું નહીં પણ બે દિવસ પછી એનાં મમ્મી-પપ્પા બંનેએ શાંતિથી એની સાથે વાત કરવાનું વિચાર્યું. એની મમ્મી શાંતિથી