આરોહ અવરોહ - 16

(108)
  • 5.8k
  • 3
  • 3.8k

પ્રકરણ - ૧૬ સવાર પડતાં આધ્યાને દવાની અસરથી સારું તો થયું પણ હજું એને શરીરમાં અશક્તિ વર્તાઈ રહી છે. સોનાને પણ આધ્યાની ચિંતામાં આખી રાત સરખી ઉંઘ ન આવી. એણે નક્કી કર્યું કે કંઈ પણ રીતે હવે શકીરાને આધ્યાને કોઈ સારા ડૉક્ટરને બતાવવા માટે મનાવવી પડશે. ક્યાંય આ છોકરી આમ ને આમ...! બોલતાં જ અટકી ગઈ. ભગવાન કરે કદી આવું ન થાય. સવાર પડતાં જ સોના નીચે ઉતરી. એણે જોયું તો હજું પણ શકીરાએ દરવાજો ખોલ્યો નથી. સોનાને થયું કે એ સામેથી જઈને શકીરાને કહે. પણ પછી શકીરા બહાર આવે એની રાહ જોવાનું થોડીવાર વિચાર્યું કારણ કે કોણ જાણે એનો