સુંદરી - પ્રકરણ ૭૭

(122)
  • 5.4k
  • 7
  • 2.6k

સત્યોતેર “જો ભઈલા, જે થવાનું હતું એ થઇ ગયું. હવે તું એનું દુઃખ લગાડે રાખીશ તો એનો કોઈજ મતલબ નથી.” સોનલબા બોલ્યાં. “હા, એને તારા પ્રત્યે નફરત છે એ વાત પાક્કી થઇ ગઈ છે. પછી ત્યાં મિડિયાવાળા આવ્યા હોત કે ન આવ્યા હોત એનાથી સુંદરીને કોઈજ ફરક નહોતો પડવાનો. આઈ ડોન્ટ થીન્ક કે એ તારી સાથે કોઈ સમાધાન કરવા માટે ત્યાં આવી હશે. એ ફક્ત તને દૂર રહેવાની જ સલાહ આપવા આવી હશે.” કિશનરાજે પણ સોનલબાના સૂરમાં સૂર પુરાવ્યો. “જો હું ત્યાં હોત તો પેલાનો કેમેરો જ ફોડી નાખ્યો હોત.” કૃણાલ અચાનક જ ગુસ્સામાં આવી ગયો. “કૃણાલભાઈ હવે તમે