સાચો અને ઉત્તમ વૈષ્ણવ

(18)
  • 4k
  • 3
  • 972

શ્રીગુસાંઈજીના પંચમ લાલજી શ્રીરધુનાથજી.. તેમનાં એક સેવક હરજીવનદાસ હતાં. તેઓ હમેશાં રમણરેતીમાં જઈને ભજન કરતાં. સાક્ષાત લીલાનો અનુભવ ભાવ થાય એ ભાવનાથી ત્યાં પડયા રહેતા. એમને ટાઢ, વર્ષા, ધૂપ કઈ ન લાગતું અને અન્નપાણી વગર પણ ચાર દિવસ નિકળી જતાં. ચોથે પાંચમે દિવસે સાવચેત થાય ત્યારે ગામમાં આવે અને બીજા વૈષ્ણવો આ વાત જાણતાં હતાં તેથી તેમને કોઈ વૈષ્ણવ લઈ જાય અને પ્રસાદ લેવડાવે. પ્રસાદ લઈને હરજીવનદાસ તો પાછાં રમણરેતીમાં ચાલ્યાં જાય.. તેમનું ધ્યાન શ્રીહરિરાય મહાપ્રભુજી ખુબ રાખતાં. આપશ્રીએ એક ખવાસને એમની ખબર રાખવા માટે જ રાખ્યો હતો. એક દિવસ શ્રીહરિરાય મહાપ્રભુજી પોતાનાં ઠાકોરજી શ્રીવિઠ્ઠલેશરાયજીની સેવા કરતા હતાં. આપશ્રી શૃંગાર કરી રહ્યા