ગુંસાઇજી પ્રાગટ્ય મહોત્સવ

(20)
  • 5.5k
  • 2
  • 1.4k

?શ્રી ગુસાઈજી નો પ્રાકટ્ય ઉત્સવ? આજે શ્રી ગુસાંઈજી નો પ્રાકટ્ય ઉત્સવ "પૌષ કૃષ્ણ નૌમી કો શુભ દિન પૂત અક્કાજુ જાયો" ત્યારે ગોવર્ધનનાથજી એ વિચાર્યું મારો જન્મદિવસ શ્રી ગુસાંઈજી તથા બધા વૈષ્ણવો સહિત ભૂતલ ઉપર પ્રકટ કર્યો. હું પણ શ્રી ગુસાંઈજી નો જન્મદિવસ પ્રગટ કરું. જ્યારે પોષ વદિ આઠમને દિવસે રામદાસજી શ્રીનાથજીને શિંગાર કરતા હતા. તે સમયે કુંભનદાસજી શિંગાર ના કિર્તન ગાતા હતા.શ્રી ગુસાંઈજી ગોકુલ માં બિરાજતા હતા, ત્યારે શ્રી ગોવર્ધનનાથજી એ રામદાસજી ને કહ્યું, "મારા જન્મદિવસે શ્રી ગુસાંઈજી મોટો ઉત્સવ ઉજ્જવે છે. તેથી મારે પણ શ્રી ગુસાંઈજી નો જન્મ દિવસ મનાવવો છે. તો તમે બધા સેવકો મળીને શ્રી ગુસાંઈજીના જન્મદિવસની ઉજવણીની