વિષકન્યા - 4

(22)
  • 3.9k
  • 3
  • 1.8k

। પ્રકરણ :4 । રાજાસાહેબ ગુમ થઈ ગયા છે , એ વાત જાણીને જ સમીરને ચક્કર આવી ગયા .તેને પોતાના પપ્પા ખૂબ વહાલા હતા .માત્ર બે કલાક પણ જો સમીર રાજાસાહેબને ના જૂએ તો પણ તે રઘવાયો થઈ જતો હતો –જ્યારે આજે તો તેણે સવારથી જ પોતાના પપ્પાને જોયા નહોતા –આવા સંજોગોમાં તે નાના બાળક જેવો થઈ જતો હતો .અત્યારસુધી તો તે વિશાખાના ભૂતની ભ્રમણામાં જ વ્યસ્ત થઈ ગયો હતો , પણ મહારાજ શિકારેથી હજુ આવ્યા નથી , તે જાણીને તેના દિલની ધડકનો વધી ગઈ ..! ક્યાં ગયા હશે મહારાજ ? તેનું મન શંકા-આશંકાથી ઘેરાઇ ગયું હતું , કંઇક અનિષ્ટ