વિષકન્યા - 3

(24)
  • 3.7k
  • 1
  • 2.2k

। પ્રકરણ :3 । વિશાખા અને રોમાના પપ્પા બહાદુરસિંહ. વિશાખાના મ્રુત્યુથી ખરેખર દુ:ખી થઈ ગયા હતા .પોતાની પુત્રીનું આમ અકાળે અવસાન ..!? અને તે પણ સ્ટેટના જ ફાર્મ હાઉસમાં ? તેમના માટે તો આ વાત જ કલ્પનાતીત હતી –અને તે પણ પાછું કોબ્રા નાગના કરડવાથી ? તેઓ તો કહેતા હતા કે આ શક્ય જ નથી .વિશાખાના શરીરની ઇમ્યુનિટી જ એવી હતી કે જો કોબ્રા નાગ વિશાખાને કરડે તો વિશાખા નહીં પણ કોબ્રા નાગ જ મરી જાય ..?! પછી વિશાખા મરી ગઈ એ વાત જ તેઓ કેવી રીતે સ્વીકારે ? છતાં જે હકીકત બની હતી એ સ્વીકારવી જ પડે એમ હતું