અશ્રુ વિરહની રાતના....

(14)
  • 4.2k
  • 2
  • 1.1k

ઘરમાં બધા જ શાંતિની ઊંઘ લઈ રહ્યા હતા, આજે તો વહેલા સૂઈ સવારે વહેલી પરોઢે ઉઠી જવાનું હતું કારણ કે, આંગણિયે ધનિક શેઠ બળવંતરાના ઘરેથી જાન આવવાની હતી. પણ...નીતુ...નીતુ ને તો આજે મટકું ય મારવાનું ન હતું. ગામમાં વચ્ચોવચ્ચ ઉંચી શેરીમાં નીતુનું ઘર.નીચે બે રૂમ અને મેડી ઉપર એક મોટો ઓરડો, શેરીમાં આવતા-જતા બધા આ મેડી ઉપર નાની બારી મઢેલી તેમાંથી દેખાય... ઘરમાં બધાના સૂઈ ગયા પછી નીતુ તો આ મેડીએ જઈ પેલી બારીએ ગોઠવાઈ ગઈ, શેખરે તેને વચન આપ્યું હતું કે, " ચિંતા કર મા, હું તારા લગનની આગલી રાતે તને આવીને ભગાડી જઈશ એટલે તારે તારાથી દશ વર્ષ