પુનર્લગ્ન

(49)
  • 4.1k
  • 2
  • 1.6k

લગ્નની પહેલી રાતે ભાર્ગવ જોષી પોતાની નવોઢા પત્ની સાથે સંવનન કરવાના બદલે ઊંડા વિચારમાં ખોવાઈ ગયો હતો. ભાર્ગવ 48 વર્ષનો હતો અને આ એના પુનર્લગ્ન હતાં. દોઢ વર્ષ પહેલાં જ એની પ્રેમાળ પત્ની નેહા નું અચાનક હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું હતું. મોટી દીકરી આરોહી 16 વર્ષની હતી અને નાનો દીકરો વત્સલ 13 વર્ષનો. ભાર્ગવ ને તો બીજી વાર લગ્ન કરવાની કોઈ ઇચ્છા જ નહોતી. નેહા ના અવસાન પછી ઘરમાં રસોઈની બહુ મોટી તકલીફ થઈ ગઈ હતી. ભાર્ગવ ની મમ્મીનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ગયેલું એટલે ઘરમાં રસોઈ કરનાર કોઈ ન હતું. આરોહી બિચારી ભણતા ભણતા દાળ ભાત શાક