મધુરજની - 21

(119)
  • 6.5k
  • 8
  • 3.3k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૨૧ મેધ જેવી સૌમ્ય વ્યક્તિમાં આટલું ઝનૂન આવી શકે એ ખુદ કેટી શાહ જેવા અનુભવી માનસશાસ્ત્રી માટે અભ્યાસની બાબત બની ગઈ. આ એની આટલા સમયની પીડા બોલતી હતી કે માનસી માટેના પ્રેમ-આ કળવું પણ મુશ્કેલ હતું. કદાચ એ બંને હતા. એ સાંજે તે કેટીબે મળ્યો હતો. ‘દોસ્ત...ખુબજ સારા પરિણામો મળ્યાં છે. તેનું મન ખૂલી ગયું હતું. સંમોહન દ્વારા જ. એ તો ક્યારેય એક હરફ પણ ઉચ્ચારવાની નહોતી જ. એનું કારણ પણ મળી જશે. અપરાધી શોધી શકાયો છે.’ કેટી એ વાત માંડી હતી. મેધના હાવભાવ સતત બદલાતા જતાં હતા. અંતે મનસુખ અંકલ સુધી આવતા આવતાંમાં તો તે ગરમ