પ્રેમનું વર્તુળ - ૧૯

(37)
  • 3.1k
  • 2
  • 1.4k

પ્રકરણ-૧૯ સત્યનો સ્વીકાર આજે વૈદેહીને એના વીણાકાકી ઘણાબધાં વર્ષો પછી પહેલીવાર જ મળવા આવ્યા હતા. નજાણે કેટલાય વર્ષોથી એમના મનમાં ધરબાયેલી પીડા આજે હવે કદાચ બહાર આવશે એવું વૈદેહીને લાગ્યું. આજે તો વૈદેહી નક્કી જ કરીને બેઠી હતી કે, આજે તો કોઈ પણ હિસાબે એ વીણાકાકીનું સત્ય જાણીને જ રહેશે. અને જ્યાં સુધી એ સત્ય જાણી નહી લે ત્યાં સુધી એ ચુપ નહિ રહે. સાથે સાથે વૈદેહી એક પ્રકારની ખુશી પણ અનુભવી રહી હતી કે, એના જે કાકી કે જેણે વૈદેહીને છેલ્લે એ માત્ર ત્રણ વર્ષની જ હતી ત્યારે જોઈ હતી એ વૈદેહીને આજે એ આટલા બધાં વર્ષો પછી મળવાના