જીવન એક સંઘર્ષ - 8

  • 3.2k
  • 1
  • 1.3k

" જીવન - એક સંઘર્ષ.." પ્રકરણ-8 આપણે પ્રકરણ-7 માં જોયું કે રમાબેન મનોહરભાઇને કહેતા હતા કે, " આશ્કાના હવે જલ્દીથી ડાયવોર્સ થઇ જાય તો સારું. કારણ કે ઐશ્વર્યા મોટી થતી જાય છે અને આપણે તેને બીજે ઘેર વળાવી શકીએ. જુવાનજોધ દીકરીને ઘરમાં કઇરીતે રાખવી...?? અને મનોહરભાઇ એક ઉંડો નિ:સાસો નાંખતાં અને કહેતા કે, " રોજ કોર્ટમાં તેમજ વકીલની ઓફિસના ધક્કા ખઉ છું તેનાથી વધારે એક બાપ તરીકે હું બીજું શું કરી શકું...?? " અને તેમની તેમજ રમાબેનની આંખમાં પાણી આવી જતું. આટલી બધી હોંશિયાર તેમજ ડાહી દીકરી આશ્કાની જિંદગીમાં આવું દુઃખ આવશે તેવું તો તેમણે સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું... અને