Affirmation તથાસ્તુઃ

  • 2.1k
  • 1
  • 570

હૈયાની હળવાશ અને મનની મોકળાશજીવન યાત્રામાં હળવાશ અને મોકળાશ થી સ્વસ્થતા, સુમેળ અને સદભાવના થી પરિચિત થવાય છે. આપણા સુખનો આધાર આપણા વિચારોની ગુણવત્તા ઉપર છે, અને આપણી ગુણવત્તાનો આધાર આપણે કેવા લોકોની વચ્ચે રહીએ છે તેની ઉપર છે. આ સંસારમાં વિચારો કેવા અને કેટલા કરવા તે કદાચ તમારા હાથમાં છે, પણ એ વિચારોને આચારમાં રૂપાંતરિત કરી જ શકશો તેની કોઈ ગેરંટી નથી. સપનામાં સુવાસિત બગીચો જોવા માંગો છો અને કદાચ વાસ્તવિકતામાં ઉકરડો લમણે ઝીંકાય નહી જ, તેની કોઈ ખાતરી નથી. શરૂઆત કરવી તમારા હાથમાં છે પણ સમાપ્તિ કેવી લાવવી તે તમારા હાથમાં નથી. પ્રવુત્તિ માટે તમે સ્વાધીન છો પણ