જીવન સંગ્રામ 2 - 20

  • 1.8k
  • 1
  • 768

પ્રકરણ 20 આગળ આપણે પરમાનંદ ધ્યાનમાં જીજ્ઞા સાથે વાત કરવા આહવાન કરે છે.. . હવે આગળ..... "જીજ્ઞા ધ્યાનમાં જોડા... ત્યાંની પરસ્થીતીથી મને વાકેફ કર.ત્યાં કેવી વાતો થાય છે.આગળ આ લોકોનો શું પ્લાન છે.જીજ્ઞા ઝડપ રાખ.આપણી પાસે સમય નથી.અમે બધાને એકસાથે ખતમ કરી શકીએ એટલા નથી.માટે આગળ શું ચર્ચા થાય છે એ જણાવ." થોડી વાર શાંતિ છવાઈ ગઈ.પરમાનંદ પોતાના હોઠ ફફડાવતા હતા એટલે સામે જીજ્ઞાદીદી કઈ બોલી રહી છે એવું લાગ્યું. લગભગ અડધા કલાક બાદ પરમાનંદ પોતાની આંખો ખોલે છે.સામે રાજન અને ગુરવિંદરજીને ઉભેલા જોયા."માફ કરશો,પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.એટલે આ રસ્તેથી તમને જણાવ્યા વિના જ માહિતી મેળવવી પડી."