ભૃણ હત્યા વિરોધ

  • 5.2k
  • 726

ભૃણહત્યા વિરોધવિકાસના પંથે આગળ વધી રહેલા આપણા દેશમા હવે દીકરી દૂધપીતી થવાના બદલે ગર્ભમા જ મૃત્યુને ભેટે છે.કદાચ અજન્મીને પીડા ઓછી થતી હશે! આ પણ વિકાસ જ કહેવાય ને?આખી જીંદગી એક દીકરી,એક બહેન,પત્ની,પુત્રવધુ અને માઁ જેવા અનેક સ્વરુપે વ્હાલ વરસાવતી નારી નહી હોય તો સમાજમા લાગણી રહેશે ખરી?નારી તું નારાયણી અને યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ જેવા સૂત્રો હવે પોથી પૂરતા જ રહી ગયા છે.જો કે કાનુન કોશીશ કરે જ છે કે ભૃણહત્યામા દોષી સાબિત થાય એને આકરી સજા મળે.કયારેક ગર્ભપાતની પરવાનગી મળી શકે છે જેમ કે,માતાની તબિયત વધારે ખરાબ થાય,,વધારે પડતી ઊલ્ટી કે વધારે રક્ત વહી જવુ અથવા