વાત છે સોરઠની વિરાગનાની - 4

(16)
  • 3.5k
  • 1
  • 1.2k

રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની મદદ માગવી ? આ બધ વિચારો સાથે હું ટોળીના ખબરીની પાછળ પાછળ ચાલી રહી હતી. એટલામાં જ મને વિચાર આવ્યો કે..... આત્મ સમર્પણ કરાવવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું, પણ અશક્ય ન હતું. કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે ત્યારે પ્રોફેસરે કહ્યું હતું કે કામ અઘરુ હોય તેનો મતલબ એ નથી થતો કે તે અશક્ય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવી અનેક પળ અને સમસ્યાઓ આવતી હોય છે. જેમાં તે હારી જવાનો વિચાર તો કરે છે પણ તે તેની સામે લડત આપે તો