પુત્રવધૂ

(36)
  • 4.4k
  • 902

પ્રિયાને પહેલી નજરે જોઇને જ મંજરી મેડમનાં ભવાં ચડી ગયાં.એ છોકરી પ્રત્યે તીવ્ર અણગમો પેદા થઇ ગયો.આવું બને છે.ઘણીવાર આપણી સાથે પણ.સામેની વ્યક્તિનો કશો જ વાંક ન હોય તો પણ એને જોઇને જ આપણા મનમાં એના માટે અભાવ સર્જાતો હોય છે.દાર્શનિકો એને ઋણાનુબંધ ગણે છે.ચિંતકો એના માટે‘પૂર્વગ્રહ’શબ્દ વાપરે છે.પરા-વૈજ્ઞાનિકો એવું માને છે કે એ વ્યક્તિના દેહમાંથી ઊઠતાં નકારાત્મક તરંગો આપણા વિચારોમાં નફરતની લાગણી ઉત્પન્ન કરી દે છે.હું ન તો દાર્શનિક છું,ન ચિંતક કે ન તો ગૂઢ રહસ્યોનો જ્ઞાતા છું.મારો જાત અનુભવ એવું કહે છે કે કોઇ પણ વ્યક્તિને આપણે જ્યારે જોઇએ કે મળીએ છીએ ત્યારે એના બાહ્ય દેખાવ,દેહભાષા અને વાણી-વર્તન