જીવનનું મૂલ્ય કેટલું ગણ્યું..?

(18)
  • 2.4k
  • 622

થોડા દિવસો પહેલા જ મનને વિચલિત કરી દે તેવી ઘટના બની.ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે માત્ર ૩૪ વર્ષની નાની વયમાં આત્મહત્યા કરી લીધી. ઘણું જ દુખ થયું કારણકે હાલમાં જ લોકડાઉન દરમિયાન તેમની બે ફિલ્મ છીછોરે અને એમ.એસ.ધોની જોઈ હતી. શું ગજબનો કિરદાર નિભાવ્યો છે આજે અહી લખું છું ત્યારે અભિનેતાનું મૃદુ હાસ્ય આંખો સમક્ષ તરી આવે છે.આના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે તમારી વાર્ષિક આવક કરોડો રૂપિયાની હોય,તમારો કરોડો ચાહકવર્ગ હોય, સોશ્યલ મીડિયામાં તમારા લાખો ફોલોવર્સ અને ફ્રેન્ડ હોય છતાં પણ માણસને શાંતિ નથી મળતી. કારણ કે માણસને શું જોઈએ છે તે પોતે પણ નક્કી નથી કરી