પ્રેત યોનિની પ્રીત... - 42

(110)
  • 5.2k
  • 10
  • 3k

પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-42 વૈદેહીનાં રૂપમાં મનસાં અઘોરનાથમાં રહેલાં વિધુને સાંભળી રહેલી. અઘોરનાથ પોતે જાણે વિચલીત થઇ ગયાં. એક સાધક, યોગી, શાસ્ત્રાર્થ કરનાર જ્ઞાની સંસારની માયાનાં કારણોથી પણ જાણે ડગી ગયાં. વિધુનાં આર્તનાંદમાં રહેલી પીડાઓ યાતનાઓ સાંભળી આંખો ભીની થઇ આવી હતી વિધુની એ જન્મની યાતનાઓ સાંભળતાં સાંભળતાં રાત થઇ ચૂકી હતી એક પછી એક પ્રકરણ ખૂલી રહેલાં બધી જ જાણે સ્પષ્ટતા થઇ રહી હતી. વિધુને એ જન્મમાં મનસા એટલે કે વૈદેહીની સ્થિતિ પીડાની ખબર નહોતી એમ વૈદેહીએનાં લગ્ન લેવાયાં એ દરમ્યાન વિધુને થયેલાં અકસ્માત એને થયેલી યાતના-સાંભળીને એ પણ ધ્રુસ્કેને ધુસ્ક્રે રડી રહી હતી એ સતત બોલી રહી હતી કે