સુખદ મેળાપ - 3

  • 2.5k
  • 1
  • 1.1k

સ્મૃતિએ બીજા ઘણા પ્રશ્નો પૂછ્યા અને મિહિર ત્રિપાઠી એ બધાના શાંતિથી જવાબ આપ્યા, ત્યારે સ્મૃતિએ કહ્યું.સ્મૃતિ : મિસ્ટર ત્રિપાઠી, માફ કરજો જો મારાથી કંઈ ખોટું પુછાઇ ગયું હોય તો, પણ એક છેલ્લો પ્રશ્ન પછી હું તમને કઈ નહિ પૂછું.આ વખતે જવાબ નીતીશે આપ્યો.નીતીશ : જો તમારા સવાલ પતિ ગયા છે તો હવે બીજું શું પૂછવાનું બાકી છે? હવે અહીં ઇન્ટરવ્યુ પૂરો કરો, મારા પપ્પાનો આરામ કરવાનો સમય થઇ ગયો છે.સ્મૃતિ : મિસ્ટર નીતીશ ત્રિપાઠી, મારો એવો કોઈ જ આશય નથી કે મારા કારણે તમારા પિતા ને કોઈ તકલીફ થાય. હું મારું કામ જ કરું છું.ઓફિસનું વાતાવરણ તણાવ ભર્યું થઇ ગયું