વૈશ્યાલય - 10

(46)
  • 8.5k
  • 3
  • 4.2k

અંશે પોતાની સોસાયટીમાં પગલાં ભરવાના ચાલ્યું કર્યા. એ વિચાર શૂન્ય હતો. આજુબાજુના દ્રશ્યો જોતો ધીરે ધીરે ચાલી રહ્યો હતો. એક રિસર્ચનું કામ હતું, એ કામમાં આટલી લાગણીશીલતા કેમ આવી? શુ એ વૃદ્ધા સાચી હશે કે પછી એક માત્ર કહાની બનાવી પોતાનો લૂંલો બચાવ કરતી હશે? અરે એ બચાવ કેમ કરે? એ તો હવે વૈશ્યાવૃત્તિના કામ માંથી નિવૃત થઈ ગઈ છે. હવે એને શુ ફેર પડે એ ખોટું બોલે કે સાચું બોલે અને મારું કામ તો ફક્ત એ લોકો કઈ રીતે જીવન જીવે છે એના પરનું છે તો હું એના ભૂતકાળમાં કેમ ડોક્યુ કરી શકું? મારે એના ભૂતકાળ સાથે કશું લેવાદેવા