સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - 2

(26)
  • 6k
  • 1
  • 2.5k

જમરાળા ની જાજરમાન જગ્યામાં આજે પૂજ્ય જયદેવદાસ બાપા બિરાજી રહ્યા છે .અને ભૂખ્યા દુખિયાને ભોજન અને આશ્વાસન આપી રહ્યા છે, એવી વર્ષો જૂની આ જગ્યાનો ઇતિહાસ રચનાર એવા સિદ્ધ સંત શ્રી ફકડાનાથ બાપા ના જીવન ચરિત્રને જોઈએ ,આવો જાણીએ શ્રી ફકડાનાથ બાપા નો ઇતિહાસ, પુર્વ જીવન અને સિદ્ધ સંત તરીકેનું જીવન. રંગપુર ગામને પાદર માં આચ્છા નીરથી વહી જતી ભાદર નદીના કાંઠે પ્રાતઃકાળમાં એક સદગૃહસ્થ હાથમા લોટી લઈને આવ્યા, દંડવત પ્રણામ કર્યા પછી નદીના શિતળ નિરમા સ્નાન કર્યું ,સૂર્યદેવને જળ અર્પણ કર્યું પવિત્ર વસ્ત્ર પહેરીને નદીના કાંઠે પ્રભુ પ્રાર્થના કરી , એટલામાં ભગવાન સૂર્યનારાયણે પોતાના સોનેરી કિરણો રુપી