સંબંધો ની આરપાર.... પેજ - ૫૨

(68)
  • 5.9k
  • 1
  • 2.1k

અંજલિ ના માથા નાં દુઃખાવા નું શું કારણ હશે તે કોઈને ખબર નહોતી. અનુરાગ સર નાં કહેવાથી જ અંજુ ખાસ ડોક્ટર ને ત્યાં ચેક અપ કરાવવા જવા તૈયાર થઈ હતી, જેનાં માટે શ્લોકે એપોઈન્ટમેન્ટ લઈને રાખી હતી. પ્રયાગ,અદિતી,સ્વરા તથા અનુરાગ સર પોતે પણ અંજુ ના ચેકઅપ માટે સાથે આવ્યાં હતા.************** હવે આગળ ************અંજલિ નાં ચહેરા પર ચિંતા નાં વાદળો છવાઇ ગયા..મનોમન ભગવાનને પ્રાર્થના કરી...હે ભગવાન..હે અંબા માં...તમે કોના ભાગ્યમાં કેટલું આયુષ્ય લખેલું હોય છે તે તો કોઈ નથી જાણી શકતું..અને મારા ભાગ્યમાં પણ તમે શુ લખ્યું છે, તેની પણ આપને જ ખબર...બસ...જેટલું જીવન આપો તેમાં મારા દિકરા પ્રયાગ ને હું