પલ પલ દિલ કે પાસ - મિથુન ચક્રવર્તી - 34

(11)
  • 4.9k
  • 2
  • 1.4k

મિથુન ચક્રવર્તી વાત એ દિવસોની છે જયારે મિથુન ચક્રવર્તીના સંઘર્ષનો સમય ચાલી રહ્યો હતો. મુબઈ આવ્યા બાદ તેણે મ્યુંનીસીપાલીટીના એક રૂમમાં આશરો લીધો હતો. તેના જેવા બીજા ચાર માણસો તે જ રૂમ માં રહેતા હતા. પલંગ પર સુવાનું ભાડું પરવડે તેમ ના હોવાથી મિથુને જમીન પર સુવાનું પસંદ કર્યું હતું. રૂમમાં ઉંદરોના ત્રાસને કારણે મિથુનને આખી રાત ઊંઘ આવી નહોતી. વહેલી સવારે પલંગ પર સૂતેલો મદ્રાસી બહાર ગયો હતો. તેની ગેરહાજરીનો લાભ લઈને મિથુને પલંગ પર લંબાવી દીધું હતું. અચાનક પેલો મદ્રાસી આવી ચડ્યો હતો. આવતાવ્હેત તેણે મિથુનનું અપમાન કરીને તેને લાફો મારી દીધો હતો. ગરીબી અને અપમાનને ગાઢ સંબંધ