ચમત્કારીક વાક્ય હું તમારી સાથેજ છું

  • 3.4k
  • 3
  • 605

બધુજ બરોબર ચાલતુ હોય, મીઠા સુમધુર સબંધો હોય એવામા આપણાથી જાણે અજાણે કોઇ ભુલ થઈ જાય કે ન પણ થઈ હોય તેમ છતા લોકો આપણને ફર્યાદો કરે, ગુસ્સો કરે, આરોપો નાખે કે આપણા પ્રત્યે કડવાહટ અનુભવે ત્યારે આપણને ખુબ ગુસ્સો ચઢતો હોય છે, આવા સમયે આપણે લોકોને શાંત પાળવાને બદલે દલીલબાજીમા ઉતરી ગુસ્સાયેલા લોકોને સામે વળતો પ્રહાર ફેંકતા હોઇએ છીએ જેથી મામલો વધુ બગળતો હોય છે. હકીકતમાતો આવા સમયે પોતાનો પક્ષ ખેંચવાને બદલે લોકોના દિલમા આપણા પ્રત્યે કુણી લાગણીઓ ઉત્પન્ન કરવાનુ તેમજ તેઓ આપણી વાત સાંભળવા કે સમજવા તૈયાર થાય તેવા વાતાવરણની રચના કરી સબંધોને તુટતા બચાવી લેવાના