રાધા-રૂક્મણિ સાથે સંકળાયેલ કૃષ્ણનું ક્વોન્ટમ મિકેનિક્સ!

(15)
  • 4.7k
  • 2k

તત્વનાં અણુ-પરમાણુ સાથે જોડાયેલ ક્વોન્ટમ મિકેનિક્સ, આજકાલ વૈજ્ઞાનિકો માટે સંશોધનનો વિષય બન્યું છે. જેમ-જેમ પદાર્થની સંરચના બદલાતી જાય તેમ-તેમ તેમાં રહેલા અણુની વર્તણૂકમાં પણ બદલાવ જોવા મળી શકે છે. આપણું વિજ્ઞાન ભૌતિક વસ્તુનાં પ્રત્યેક ગુણધર્મોને ગાણિતીક સૂત્રોની મદદ વડે દર્શાવી શકવા સક્ષમ છે, જેને તકનિકી ભાષામાં ‘વેવ ફંક્શન’નાં નામે ઓળખવામાં આવે છે. ૨૦૧૨ની સાલમાં યુનિવર્સિટી ઓફ કોલોરાડો અને નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ સ્ટાન્ડર્ડ્સ એન્ડ ટેકનોલોજીનાં બે હોનહાર વૈજ્ઞાનિકો ડેવિડ વાઇનલેન્ડ અને એસ.હારોકીને ક્વોન્ટમ મિકેનિક્સને લગતા પોતાના એક અનોખા સંશોધન માટે નોબેલ પ્રાઈઝ એનાયત થયા.