અર્ધ અસત્ય. - 13

(214)
  • 7.3k
  • 10
  • 5.7k

“મારાં ત્રણેય મોટા બાપુમાંથી કોઇને પણ સંતાન સુખ મળ્યું નહોતું.” એવું બોલતી વખતે અનંતસિંહના અવાજમાં એક ન સમજાય એવી પીડા, એક ગમગિનિ ભળેલી હતી. અભય એ સાંભળીને સ્તબ્ધ બની ગયો. રાજ પરિવારમાં સંતાનોના જન્મની બાબત ઘણી વિચિત્ર હતી એમાં કોઇ શક નહોતો. તે વિચારમાં પડયો કે આ વાતનું અનુસંધાન પૃથ્વીસિંહનાં ગાયબ થવાની ઘટના સાથે જોડી શકાય કે નહી? ઉપરાંત તેને અનંતની ફોઇ વૈદેહીસિંહના આજીવન કુંવારા રહેવા વિશેનું રહસ્ય પણ જાણવાની ઇચ્છા ઉદભવી હતી. આ બે બાબત તેને સૌથી વધુ ખટકી હતી અને તેણે એ વિશે તપાસ કરવાનું મન બનાવી લીધું હતું.