અર્ધ અસત્ય. - 11

(221)
  • 9.2k
  • 11
  • 5.9k

ઘરેથી નીકળતા પહેલાં અભયે અનંતને ફોન કર્યો હતો. અનંત એ સમયે વિષ્ણુસિંહની હવેલીએ હતો. તેણે અભયને ત્યાં જ આવવા જણાવ્યું. અભયનું બુલેટ રિપેર થઇને સાંજે મળવાનું હતું એટલે માથે છત્રી ઓઢીને ચાલતો જ તે વિષ્ણુસિંહજી બાપુની હવેલી તરફ જવા નીકળી પડયો. રાજગઢ કોઇક જમાનામાં અતી સમૃધ્ધ અને વસ્તિથી ધમધમતું નગર હતું. એક સમયે જેવો રાજપીપળા સ્ટેટનો દબદબો હતો એવો જ દબદબો રાજગઢનો પણ હતો. પરંતુ સમયની સાથે ઘણું બદલાયું હતું અને લોકોએ નગર છોડીને બહેતર જીવનની તલાશમાં શહેર તરફ ઉછાળા ભર્યાં હતા. હવે રાજગઢમાં લોકો રહેતાં તો હતા છતાં પહેલા જેવો માહોલ શેરીઓમાં જામતો નહી. એક રીતે સમૃધ્ધ ગણાતું રાજગઢ નગર ધીરે-ધીરે વૃધ્ધ થતું જતું હતું.