પ્રસ્તાવના વાર્તાનો સમયગાળો ભવિષ્યનું વર્ષ ઈ.સ.૨૫૦૦ છે. જ્યારે પૃથ્વી પરથી મનુષ્ય સિવાયની લગભગ બધીજ જીવસૃષ્ટિનું નિકંદન નીકળી ચુક્યું છે. પોતાની લગભગ દરેક જરૂરિયાત માટે પૃથ્વી પરની અન્ય જીવસૃષ્ટિ પર નભતા મનુષ્યએ અન્ય જીવોની ગેરહાજરીમાં પોતાનું અસ્તિવ જોખમાઈ જાય એ પહેલાં જ સમય પારખીને પોતાના બચાવ માટેના પગલા વર્ષો પેહલાં જ ભરવાના શરુ કરી દીધા હતાં. જેના ભાગરૂપે મનુષ્યે પૃથ્વીથી ૬૦ પ્રકાશવર્ષ દૂરની એક આકાશગંગા જેને “નૈરીતી” નામ આપવામાં આવ્યું હતું તેની શોધ કરી હતી. નૈરીતી નામ એટેલ અપાયું કેમકે તેની શોધ એવા અણીના સમયે એક ભારતીય મહિલા વૈજ્ઞાનિક નૈરીતી સામંથા દ્વારા ૩૦૦ વર્ષ પેહલાં કરવામાં આવી હતી. ત્યારબાદ એજ વૈજ્ઞાનિકએ