વાચક મિત્રો,મારા અગાઉના બેંકિંગ લોકપાલ યોજના – ૨૦૦૬ પરના બે લેખ (ભાગ 1 – http://udaybhayani.in/2019/06/17/bos1/ અને ભાગ 2 – http://udaybhayani.in/2019/06/17/bos2/) થી આ યોજના વિશે ઘણી ઊંડાણપૂર્વકની માહિતી જોઇ હતી. આ બન્ને લેખમાં આ યોજનાને લગતી વિગતો જેવી કે, બેંકિંગ લોકપાલ એટલે શું? તેની સમક્ષ કઇ-કઇ બાબતોની ફરિયાદ થઇ શકે? ફરિયાદ કરવાની રીત, ફરિયાદ મળ્યે બેંકિંગ લોકપાલ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી, ફરિયાદનું નિવારણ, ફરિયાદ ક્યારે ગ્રાહ્ય રાખવામાં આવતી નથી? અપીલની જોગવાઇ તથા આરબીઆઇ અને બેંકોએ બેંકિંગ લોકપાલ યોજનાની બહોળી પ્રસિધ્ધિ કરવા બાબત વગેરેની માહિતીનો સમાવેશ કરવામાં આવેલ હતો. પ્રજાજનોને બેંકિંગ સુવિધા સંબંધી કોઇ ફરિયાદ હોય તો, તેના ઝડપી અને બિન-ખર્ચાળ નિરાકરણ લાવવા માટે ભારતીય