મરાઠી યોદ્ધા યશવંત રાવ હોલ્કર

(29)
  • 5.7k
  • 8
  • 1.2k

૧૭૯૫ની સાલથી મરાઠા સામ્રાજ્ય હાલકડોલક થવા લાગ્યું હતું. સવાઈ માધવરાવ, મહાદજી શિંદે અને નાના ફડનવીસના મૃત્યુ બાદ મરાઠાઓ માટે આગેવાન મેળવવો મુશ્કેલ લાગી રહ્યું હતું. ત્યારબાદ બાજીરાવ બીજા દૌલત રાવ શિંદેના બિનઅનુભવને લીધે પણ આ સામ્રાજ્યને ઘણું બધું સહન કરવું પડ્યું હતું. ૧૮૦૨માં ભયંકર દુષ્કાળ પડ્યો, શિંદે અને હોલકર વચ્ચે દુશ્મની થઇ અને શિંદેને પેશ્વાઓનું સમર્થન મળ્યું. ૧૮૦૦ની સાલમાં આ યુતિએ વિઠોજી હોલકરની પુણેમાં હત્યા કરી.