સ્વસ્તિક (પ્રકરણ 51)

(162)
  • 3.4k
  • 3
  • 1.5k

કપિલ કથાનક સોમર અંકલ પાછળ હું પણ આયનામાં દાખલ થયો જયારે મેં આયનામાં બીજો પગ મુક્યો હું ફરી બાબુ જાદુગરના ઘર બહારના માણસથી અડધા કદના પુતળામાંથી નીકળ્યો. “આપણે થોડાક હથિયારની જરૂર પડશે..” સોમર અંકલ મારી બાજુમાં ઉભા હતા. “બાબુનો વિશ્વાસ કરી શકાય?” મેં પૂછ્યું, “એણે જે કહ્યું એ સાચું જ હશે?” “એની જાદુઈ તાકતો છીનવી લીધા પછી એ સાચું બોલ્યો હતો કે ખોટું એ જાણતા મને એક પળ પણ ન થાય. એ સાચું બોલ્યો કે નહિ એ ચોક્કસ ન કહી શકાય પણ એ જે બોલ્યો એને એ સાચું માનતો હતો. કદાચ એની કોઈ ભૂલ પણ હોઈ શકે કેમકે