સ્વસ્તિક (પ્રકરણ 22)

(168)
  • 4.1k
  • 7
  • 1.7k

રાજકુમાર સુબાહુ વહેલી સવારે ઘોડેસવારી પર નીકળવાને બહાને એક અપરાધીની શોધમાં નાગ જંગલમાં નીકળી ગયો હતો. નાગ જંગલ ખુબ ઘેરું અને અભેદ જંગલ હતું. તેમાં જંગલી જાનવરો અને તેના કરતા પણ ભયાનક નાગ જાતિના લોકો રહેતા હતા જેના વિષે સામાન્ય લોકોમાં એવી અફવાહ હતી કે એ નાગ જાતિના લોકો માનવ અને નાગ એમ બે રૂપ લઈ શકે છે. સુબાહુ ક્યા જઈ રહ્યો છે એ વાતની જાણ એના માટે ઘોડો તૈયાર કરનાર જશવંતને પણ ન હતી. કુમારે એને કઈ કહ્યું ન હતું પણ જશવંત રાજનો જુનો વફાદાર અને ચાલાક સેવક હતો. એની નજર, એની તલવાર અને એનું દિમાગ ત્રણેય તેજ