સ્વસ્તિક (પ્રકરણ 10)

(184)
  • 4.3k
  • 9
  • 1.8k

વિવેક કથાનક. મારી પાસે વિશ્વાસ મૂકી શકાય એવો અરુણ અને આયુષ સિવાય કોઈ મિત્ર બચ્યો ન હતો. કપિલ અને બાકીના નાગ-નાગિન વિશ્વાસ પાત્ર હતા પણ જ્યાં સુધી સામે દુશ્મન કોણ છે એ ખબર ન પડે ત્યાં સુધી કપિલને કે કોઈ પણ નાગને એમાં ઇન્વોલ્વ કરવો બહુ જોખમી હતું. જોકે જોખમ તો આયુષને એમાં ઇન્વોલ્વ કરવામાંય હતું જ પણ એટલું નહિ કેમકે એ સામાન્ય માણસ હતો કોઈ નાગ નહિ દુશ્મન માટે એ કોઈ કામનો ન હતો, અને બીજું એ કે મને ઊંડે ઊંડે લાગતું હતું કે ભલે અત્યારે કોઈ ખુલાશા થયા ન હતા પણ વૈશાલીના ગાયબ થવાને કપિલ અને