પરશુરામ વિષે અજાણી વાતો

(104)
  • 8.1k
  • 15
  • 2.1k

ભગવાન પરશુરામે તેમની માતાની હત્યા કેમ કરી હતી? ભગવાન પરશુરામને વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે ઓળખવામાં આવે છે. જેમ રામ સાથે ધનુષ-બાણ, કૃષ્ણ સાથે સુદર્શન ચક્ર એવી જ રીતે પરશુરામ સાથે તેમની પરશુ એટલેકે કુહાડી સંકળાયેલી છે. એવું કહેવાય છે કે પરશુરામ અમર છે અને હાલમાં ઓડિશામાં આવેલા મહેન્દ્રગીરી પર્વત પર તેમનો વાસ છે.