સમુદ્રાન્તિકે - 24

(67)
  • 7.2k
  • 8
  • 3.6k

અંધકારનો અર્થ અહીં ઓછું અજવાળું, એટલો જ થાય છે. કૃષ્ણપક્ષની રાત્રીઓ પણ દૂર સુધી ઝાંખું-પાંખુ જોઈ શકાય તેટલી ઊજળી તો હોય જ. આ પ્રદેશના રહેનારા તો દૂરથી આવનારને પારખી પણ શકે એટલો ઝળહળ ઉજાસ આ ટમટમતા તારલિયાંઓ પૂરો પાડે છે.