વન્સ અપોન અ ટાઈમ - 31

(191)
  • 8.4k
  • 13
  • 7k

દાઉદના આશીર્વાદથી જ મહેશનું ખૂન થયું છે એવી ખબર પડી ત્યારે અરવિંદ ધોળકિયા મરણિયો બનીને દાઉદને હંફાવવા મેદાને પડ્યો હતો. રમા નાઈક અને અરુણ ગવળીને પણ ઠેકાણે પાડી દેવાનું ઝનૂન એના દિમાગમાં સવાર થઇ ગયું હતું. પણ અરવિંદ ધોળકિયા એના આ જાની દુશ્મનોને ખતમ કરે એ અગાઉ દાઉદે અરવિંદ ધોળકિયાને પતાવી દેવાનો આદેશ આપ્યો હતો.