અતીતના પડછાયા - 11

(101)
  • 3.5k
  • 3
  • 1.8k

પશ્ચાતાપ... ? પશ્ચાતાપ કોનો... મિ. હરિલાલ તમે કરેલ કર્મનું ફળ તો તમારે જ ભોગવવું પડશે. તીખી નજરે કદમે હરિલાલની સામે જોયું પછી આગળ બોલ્યો. દુધઈ ટેકરીવાળા સંત શ્રી રામેશ્વરાનંદ સરસ્વતીચંદ્ બાપુ કહે છે કે તમે કર્મ કરો તેનું ફળ તમારે જ ભોગવવું પડે છે. જો સારા કર્મ કર્યા હશે તો તેનું ફળ સારું અને ખરાબ કર્મ કર્યા છે તો તેનું માઠું ફળ પણ તમારે જ ભોગવીને જવું પડશે. તમે કુકર્મ કરવા વખતે કેમ વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું. તમે દારૂ પીવા વખતે વિચાર નથી કરતા કે હું ખોટું કરું છું.