નિયતિ - ૨૨

(114)
  • 3.6k
  • 13
  • 1.8k

આજે વાસુદેવભાઇને ચેકઅપ માટે લઈ જવાના હતા. પાર્થ આવી ગયો હતો. એણે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી રાખી હતી. બે વોર્ડબોય સ્ટ્રેચર પર સુવડાવીને વાસુદેવભાઇને એમ્બ્યુલન્સમાં લઈ ગયા. એમની સાથે જશોદાબેન પણ ગયા. પાર્થ અને ક્રિષ્ના એમની પાછળ ગાડીમાં ગયા.રેગ્યુલર દવા અને થોડીક કસરત પછી ફરક જરૂર પડશે. હાલ તબિયત સારી છે  જીવ હેઠો બેઠો. વાસુદેવભાઇને ફિજીઓથેરાપિસ્ત આવીને તપાસી ગયા. એમણે પણ એમના પ્રયત્નો ચાલું કરી દીધા. રોજની સારવાર બાદ દસ દિવસે વાસુદેવભાઇના શરીરમાં થોડી હરકત આવી. એ એમની જાતે હાથ પગ જરીક હલાવતા થયા. હજી એમની જાતે હાથ કે પગ ઉઠાવી નહતા શકતા પણ, એ હવે હાલ સગાઈની જીદ લઈને બેઠા